૮૫ એકર વિસ્તારમાં પથરાયેલું તીર્થ ૭૨ જિનાલય
કચ્છની પવિત્ર ભૂમિ પર ભદ્રેશ્વર પછી 72 Jinalaya Jain Temple Kutch, ૭૨ જિનાલય જૈન તીર્થ સૌથી જાણીતું તીર્થ છે. ભાતીગળ ભોમકા કચ્છને કુદરતે રણ, ટેકરીઓ, ડુંગરો, સમુદ્ર, ખાણ, ખેતીવાડી બધુંજ આપીને તેની કલા અને સંસ્કૃતિને શણગારી છે. એમાંય કુદરતના આ વૈભવ ની વચ્ચે ૮૫ એકર વિસ્તારમાં પથરાયેલું તીર્થ અને અષ્ટકોણ આકારનું 90000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં સંપૂર્ણ સંગેમરમર પાટણથી નિર્માણ થયેલું અને 111 ફૂટ ઊંચું શિખર ધરાવતું જિનાલય એટલે 72 જિનાલય..
આ તીર્થયાત્રાના પ્રણેતા રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણ સાગર સૂરીશ્વરજી મહારાજા હતા.
72 જિનાલય YouTube Video
72 જિનાલય મહાતીર્થની ખનનવિધિ તા. 5 ડિસેમ્બર 1982 ને રવિવારના રોજ કરવામાં આવી હતી. ખનનવિધિ બાદ 5 વર્ષ અને 5 મહિના પછી 1987માં 1લી મેના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંઘ દ્વારા આ યાત્રાધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તારીખ 24 એપ્રિલ 1996 ના શુભ દિવસે 72 જિનાલય મહાતીર્થમાં ભવ્ય અંજન શલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવમાં અચલગચ્છાધિપતિ તપસ્વીરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને સાહિત્ય દિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાધામના સંચાલન માટે બે ટ્રસ્ટ
આ યાત્રાધામના સંચાલન માટે, સારી વ્યવસ્થા માટે બે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. તેમાંથી એક શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ અને બીજું શ્રી યશોધન વર્ધમાન બહુંતર જિનાલય ટ્રસ્ટ છે.
શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ ગેસ્ટ હાઉસ, ડાઇનિંગ હોલ, ભાટા ઘર, પીવાનું પાણી, પીવાનું પાણી અને ઉપાશ્રય વગેરેની પ્રવૃત્તિઓ ચલાવે છે. જ્યારે ધાર્મિક ખાતાઓ શ્રી યશોધન વર્ધમાન બહુંતેર જિનાલય ટ્રસ્ટ, મંદિર અને દેવદ્રવ્ય વગેરે દ્વારા ચલાવવામાં આવે છે.
અહીં મુખ્ય જિનાલયની નજીકના પરિસરમાં 66 દેવકુલિકા અને 4 મધ્યમ જિનાલય છે. મુખ્ય મંદિરના રંગ મંડપમાં અને શૃંગાર મંડપ તથા શૃંગાર ચોકીના સ્તંભો પર આરસના બારીક કોતરેલા તોરણ રાણકપુર અને આબુના જૈન મંદિરોની યાદ અપાવે છે. અહીંના સ્તંભોને સોના અને ચાંદીનો ઉપયોગ કરીને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્ય જિનાલયના દરવાજા પણ ચાંદીના બનેલા છે અને તેના પર સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે.
111 ફૂટ ઊંચું શિખર : 90000 સ્ક્વેર ફૂટમાં જિનાલય
અહીંના મુખ્ય મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની 73 ઇંચની દિવ્ય પ્રતિમા બિરાજમાન છે. આ વિશાળ તીર્થમાં અનગત ચૌબીસી, વર્તમાન ચૌબીસી અને ભૂતકાળની ચૌબીસી, વીસ વિહારમાન જિન ચાર શાશ્વત જિન કેવલી ગાંધાર શ્રી પુંડરિક સ્વામી વગેરે ગણધર ભગવંતો બિરાજમાન છે. આ ભવ્ય મંદિરમાં અષ્ટપદની પણ રચના કરવામાં આવી છે.
અહીં ગોળાકાર મંદિરોના ગર્ભગૃહની બહાર દેશના વિવિધ જૈન તીર્થસ્થાનોની તસવીરો સાથે ટૂંકા ઈતિહાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય મંદિરના પાંચ પ્રવેશદ્વાર પર તીર્થધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ, શ્રી અષ્ટાપદજી ગિરનાર તીર્થ, સમેદ શિખરજી તીર્થ, આબુ તીર્થ અને પંચકલ્યાણકની કાચની પ્લેટો મંદિરને શણગારે છે.
72 જિનાલયના દક્ષિણ-પૂર્વ ખૂણામાં, આ તીર્થના સ્વપ્નદ્રષ્ટા સમ્રાટ અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તે સ્થળે ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીંની ખાસ વિશિષ્ટતા એ છે કે દરરોજ રાત્રે જીનાલયના રંગમંડપમાં સંગીતમય ભાવના થાય છે. એ વખતે દેરાસરને અંદર અને બહાર લાઇટિંગથી સુશોભિત કરાય છે. 72 જિનાલય તીર્થના પરિસરમાં સુંદર બાગ બગીચા, ઘટાદાર વૃક્ષોની છાયા તન મનને શાંતિ આપે છે.
અહીંયા રહેવા માટે સુઘડ અતિથિગૃહો તેમજ જમવા માટે ભોજનાલય અને યાત્રિક ભાતા ખાતાની સુંદર અને સ્વચ્છ વ્યવસ્થા છે.
યાત્રિકો 72 જિનાલય થી નાની અને મોટી પંચતીર્થી યાત્રા કરી શકે છે. નાની પંચતીર્થી માં 72 જિનાલય થી બીદડા ત્યાંથી નાની ખાખર ત્યાંથી મોટી ખાખર ત્યાંથી ભુજપુર એ પછી વાંકી અને ત્યાંથી ભદ્રેશ્વર એ રીતે યાત્રા થઈ શકે છે.
નાની અને મોટી પંચતીર્થી ની વિગતવાર માહિતી કિલોમીટર અને ટેલીફોન નંબર સાથે અહીંયા નીચે પ્રમાણે છે.
નાની પંચતીર્થી
તીર્થ ૧ | તીર્થ ૨ | અંતર | ફોન નંબર |
72 જિનાલય થી | બિદડા | 6 કિલોમીટર | 02384 244230 |
બિદડા | નાની ખાખર | 5 કિલોમીટર | 02834 244181 |
નાની ખાખર | મોટી ખાખર | 3 કિલોમીટર | 02838 275496 |
મોટી ખાખર | ભુજપુર | 10 કિલોમીટર | 02838 240023 |
ભુજપુર | વાંકી | 15 કિલોમીટર | 02838 278240 |
વાંકી | ભદ્રેશ્વર | 30 કિલોમીટર | 02838 282361-62 |
મોટી પંચતીર્થી
શિવમસ્તું | 02834 277777 |
દેઢિયા | 9879614744 |
સાંધાણ | 02831 283243 |
સુથરી | 02831 284223/255 |
કોઠારા | 02831 282235/120 |
જખૌ | 02831 287224 |
નલિયા | 02831 222327 /337 |
તેરા | 02831 289223 |
ગુજરાતનાં મુખ્ય શહેરોથી 72 જિનાલયનું અંતર
72 જિનાલય થી | પાલીતાણા | 445 કિલોમીટર |
72 જિનાલય થી | શંખેશ્વર | 350 કિલોમીટર |
72 જિનાલય થી | અમદાવાદ | 410 કિલોમીટર |
72 જિનાલય થી | જામનગર | 350 કિલોમીટર |
72 જિનાલય થી | ભાવનગર | 480 કિલોમીટર |
72 જિનાલય થી | રાજકોટ | 300 કિલોમીટર |
72 જિનાલય થી | ગાંધીધામ | 90 કિલોમીટર |
72 જિનાલય થી | ભદ્રેશ્વર | 65 કિલોમીટર |
72 જિનાલય થી | મુંદ્રા | 45 કિલોમીટર |
72 જિનાલય થી | વાંકી | 51 કિલોમીટર |
72 જિનાલય થી | ભુજ | 50 કિલોમીટર |
72 જિનાલય થી | નારાયણ સરોવર | 160 કિલોમીટર |
72 જિનાલય થી | માતાના મઢ | 120 કિલોમીટર |
72 જિનાલય થી | જુનાગઢ | 400 કિલોમીટર |
72 જિનાલય થી | માંડવી | 9 કિલોમીટર |